રાજ્ય સરકારના નવા ઠરાવ મુજબ પ્રમાણપત્ર મેળવતા મુકુંદ બદીયાણી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના ખાતેદાર ખેડુત મોહનલાલ પરસોતમભાઈ બદીયાણી કે જેઓ ખેતીની જમીન ધારણ કરતા હતા. પરંતુ આ જમીનને નાયબ કલેકટર દ્વારા વર્ષ ૧૯૯૪ માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સંપાદિત કરવામાં આવેલ. ત્યારબાદ મોહનલાલ પરસોતમ બદીયાણીનું તા.૦૨/૦૧/૨૦૦૧ ના રોજ અવસાન થયેલ આથી વારસાઈ આંબા મુજબ તેમની સીધી લીટીના વારસદાર તરીકે મુકુન્દરાય મોહનલાલ બદીયાણીએ જરૂરી સોગંદનામુ રજૂ કરી ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવાની જિલ્લા કલેક્ટર સમક્ષ માંગણી કરેલ હતી.
રાજ્ય સરકારના ઠરાવ મુજબ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર અને લાલપુરના પ્રાંત અધિકારી એસ જે અસવાર તાકીદે કામગીરી હાથ ધરીને રાજ્ય સરકારની નવી નીતિના અમલીકરણનો જિલ્લામાં પ્રારંભ કર્યો છે.
મોહનલાલ પરસોતમન બદિયાણીના સીધી લીટીના વારસદાર તરીકે મુકુન્દરાય બદીયાણી અને તેમના ભાઈ બેનો ના પરિવાર એ તમામ ધારા ધોરણો પરીપૂર્ણ કરતા હતા. આથી તમામ જોગવાઈઓને ધ્યાને લઈ પત્રકાર મુકુન્દરાય મોહનલાલ બદીયાણીને લાલપુરના પ્રાંત અધિકારી એસ. જે. અસવાર દ્વારા ખેડુત ખાતેદારના દરજજાનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech