જામનગર તાલુકાના ઢંઢા ગામની સીમમાં પરપ્રાંતીય પરિણીતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે, ફોનમાં કોની સાથે વાત કરે છે એવું પતિએ કહેતા આ વાતનું મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધુ હતું.
મુળ એમ.પી.ના અલીરાજપુર જીલ્લાના ઘોઘસા ગામના વતની અને હાલ જામનગર તાબેના ઢંઢા ગામની સીમમાં કિશોરસિંહની વાડીએ રહેતા અને ખેતમજુરી કરતા શબરીબેન ભીકલા ભીંડે (ઉ.વ.૨૯) નામની પરિણીતાને ગઇકાલે તેના પતિએ તું કોઇ સાથે ફોનમાં વાત કરે છે તેવા સવાલો કરતા આ વાતનું તેણીને લાગી આવ્યુ હતું.
જેના કારણે પોતાની મેળે જાંબુના ઝાડ પર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે ભીકલાભાઇ ગુજલાભાઇ ભીંડે દ્વારા પંચ-બી પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech