જામનગરના બેડેશ્ર્વરમાં એડવોકેટની નિર્મમ હત્યા નિપજાવવાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગઇકાલે તમામ વકીલો અદાલતની કાર્યવાહીથી અલીપ્ત રહયા હતા, હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આરોપીઓને સત્વરે ઝડપી લઇ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. ગઇકાલે કોર્ટ કમ્પાઉન્ડ ખાતે જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવાની આગેવાની હેઠળ વકીલો એકત્ર થયા હતા અને એડવોકેટની હત્યાના બનાવ સબંધે આક્રોશ ઠાલવીને એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહયા હતા આજે વકીલ મંડળના હોલમાં બેઠક મળી હતી જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech