મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મુકેશભાઈ ભાયલાભાઈ જમરા નામના 29 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનને નાનપણથી જ ચક્કર આવવાની બીમારી હોય, દરમ્યાન શનિવારે એક આસામીની વાડીમાં આવેલા કુવામાંથી પાણી ભરવા જતી વખતે તેમને ચક્કર આવી જતા કુવામાં પડી ગયા હતા. અહીં તેમને તરતા આવડતું ન હોવાથી ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ભાયલાભાઈ જમરા (ઉ.વ. 46) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
અકાળ કારણોસર ગોરીયાળીના આધેડે ગળાફાંસો ખાધો
દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામે રહેતા ઉકરડાભા હોથીભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત રવિવારે મૂળવેલ ગામની સીમમાં આવેલા એક અવાવરું મકાનના પેઢીયામાં દોરડું બાંધીને કોઈ અકળ કારણોસર આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર દેવીસંગભા (ઉ.વ. 27) એ ઓખા મરીન પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech