ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્ટ શાળામાં ગાયની પૂજન તેમજ કૃષ્ણ જન્મના વધામણા સાથેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા નજીક આવેલી ધી પ્રેસિડેન્ટ શાળા ખાતે બાળકોમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી શિક્ષા મળે અને બાળકોમાં આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી તાજેતરમાં ગાય માતાની પૂજા, પ્રદક્ષિણા કરાવી તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ આયોજનમાં શાળાના બાળકો લિટલ ક્રિષ્ના, રાધિકા, ગોપી, નંદ, યશોદા જેવા પાત્રોમાં સજ્જ બનતા ગોકુળિયો માહોલ જોવા મળ્યો હતો.
શાળા પરિસરમાં ગાય-વાછરડાનું પૂજન તેમજ પ્રદક્ષિણા વડીલોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા સાથે "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી..." થીમ જોવા મળી હતી. આ સમગ્ર આયોજનમાં હર્ષોલ્લાસ સાથેના દિવ્ય વાતાવરણમાં બાળકો સાક્ષાત કૃષ્ણ રાધિકા સ્વરૂપે જોવા મળ્યા હતા. જે માટે શાળાના હેડ પ્રિન્સિપલ ચંદુભાઈ તેમજ શાળાના ડાયરેક્ટર માહીસર દ્વારા સંસ્કાર સિંચન તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : દરીયાઈ વિસ્તાર નજીકના અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરાયા
May 21, 2025 11:59 AMજામનગર શહેરમા મહાનગર પલિકા દ્વારા મેગા ડિમોલેશન
May 21, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech