ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા ઉષાબેન જીતેન્દ્રભાઈ ચંદારાણા નામના 50 વર્ષના મહિલાને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારી હોય અને આ બીમારીથી કંટાળીને તેમણે ગત તારીખ 6 માર્ચના રોજ કલ્યાણપુર તાલુકામાં રહેતા તેમના પુત્રીના ઘરે એસિડ પી લીધું હતું. જેથી તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીતેન્દ્રભાઈ દેવરામભાઈ ચંદારાણાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
દ્વારકા પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ હુમલો
નેપાળના મૂળ વતની અને હાલ દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા રામ નારાયણ જયપાલ પાસવાન નામના 52 વર્ષના પ્રધાને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ રામ અધીન ગંગા પ્રસાદ પાસવાનએ દ્વારકા પોલીસને કરી છે.
ભાટિયાના કેન્સરગ્રસ્ત યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા હરેશભાઈ જોધાભાઈ બોચીયા નામના 40 વર્ષના યુવાનને કેન્સરની બીમારી હોય, તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દવા લેવા જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ શંકરભાઈ જોધાભાઈ બોરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારત પાકિસ્તાન ઘર્ષણની પરિસ્થિતિના પગલે જામનગરના પગડિયા માછીમારોની હાલત કફોડી બની
May 13, 2025 01:54 PMધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech