જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ખટિયા ગામમાં રહેતા યુવાનનું તળાવમાં માછીમારી કરવા માટે ગયા પછી અકસ્માતે તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના ખટીયા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો ખોડાભાઈ બેચરભાઈ સીતાપરા નામનો ૪૫ વર્ષનો યુવાન, કે જે ગઈકાલે ખડખંભાળીયા ગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો, જ્યાં અકસ્માતે પાણીમાં પડી જતાં ડુબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ સુરેશભાઈ બેચરભાઈ સીતાપરાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોસ્ટેબલ કે. જે. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech