ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આ ખરીદી માત્ર કાગળ પર જ થતી હોવા સાથે મિલીભગત અને તંત્રની બેદરકારીના આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી હજુ સુધી શરૂ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલા એકાદ સપ્તાહથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતોની રજૂઆત મળતા ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મુલાકાત લઈને તેમની વ્યથા જાણી હતી. અને જો વહેલાસર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નહિ કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech