દ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા કુબેર વીસોત્રિના એએસઆઈને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપીએ સન્માનિત કર્યા

  • December 23, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા પાસેના કુબેર વિસોત્રી ગામના અને હાલ દેવભૂમિ દ્વારકામાં LCB માં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા સજુભા જાડેજાને વણ શોધાયેલ અને જે ગુન્હાઓનો ભેદ ઉકેલાયો નાં હોઈ એવા કેસને સફળતા પૂર્વક ઉકેલવા માટે શ્રેષ્ઠ કામગીરી બદલ  ડીજીપી શ્રી વિકાસ સહાય દ્વારા સન્માનિત કરી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પહેલા સજુભા જાડેજાએ  એસોજીમાં પણ ખૂબ જ સારી કામગીરી કરી હતી. સલાયા તેમજ આજુબાજુના ગામોમાં ચોરી તેમજ અન્ય ગુન્હાખોરીના કેસોમાં પણ આગાઉ સજુભાએ પોતાની કુનેહ અને નિષ્ઠાથી અનેક કેસો ઉકેલવા સારી કામગીરી કરેલ હતી.આમ સજુભાને આં પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરતા ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application