જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા આધેડ છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને એકલવાયા જીવનથી તંગ આવી જઇ, પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
જામનગર તાલુકાના નાઘુના ગામમાં ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા ભોજાભાઇ નારણભાઈ પારીયા નામના ૫૫ વર્ષના આધેડ, કે જેઓ છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારી થી પીડાતા હતા, અને છેલ્લા પાંચેક વર્ષથી એકલવાયું જીવન જીવતા હતા.
દરમિયાન તેણે પોતાની જિંદગીથી તંગ આવી જઇ ગઈકાલે પોતાના ઘેર દોરડા વડે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના સંબંધી અરવિંદભાઈ સામતભાઈ પારિયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી-બી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech