ગુજરાતના સરહદી વિસ્તારના 357 ગામોને એલર્ટ, આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજાઓ રદ, મુખ્યમંત્રીએ આપાતકાલીન બેઠક બોલાવી

  • May 09, 2025 09:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હુમલાના પ્રયાસનો ભારત જડબાતોડ જવાબી આપી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓ અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતના સરહદી વિસ્તારના 357 ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે.​​​​​​​


મુખ્યમંત્રીએ આપાતકાલીન બેઠક બોલાવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આજે સવારે 10.30 વાગ્યે ગાંધીનગરમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આપાતકાલિન બેઠક, તમામ જિલ્લા કલેક્ટરો, પોલીસ અધિકારીઓ હાજર રહેશે, સંભવવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કન્ટીજન્સી પ્લાન મુજબ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી શકે છે.


હર્ષ સંઘવી સરહદી ગામોની પરિસ્થિતિની સમીક્ષા કરી

ગુજરાતના સરહદી વિસ્તારના 357 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં સલામતીના પગલા લેવાઈ રહ્યા હોવાનું હર્ષ સંઘવીએ ગઈકાલે રાત્રે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application