દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ સહિત ચારેય પીઠોના શંકરાચાર્યો આગામી ૬ ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજવામાં આવેલ ગો સંસદમાં સમ્મિલિત થનાર છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ તીર્થના થાય મેલા ક્ષેત્રમાં શંકરાચાર્ય શિબિર ખાતે આગામી તા. ૯ ફેબ્રુઆરી બપોરે ૧ર થી સાંજે ૪ વાગ્યા સુધી ચારેય પીઠના શંકરાચાર્ય સમર્થિત ગો સંસદ યોજવામાં આવશે. જેમાં દ્વારકા શારદામીઠના શંકરાચાર્ય દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ, જ્યોતિમઠ બદ્રિકાશ્રમના શંકરાચાર્ય અત્રિમુકતેશ્ર્વરનંદજી મહારાજ પુરીના ગોવર્ધનપીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ર્ચલાનંદ સરસ્વતીજી મહારાજ તેમજ શ્રૃંગેરી શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી ભારતીતીર્થજી મહારાજ ઉપસ્થિત રહેશે. આ ગો-સંસદનો ઉદ્દેશ્ય ભારતની ભૂમિ પરથી ગો-હત્યા કલંકને સમાપ્ત કરવા, સનાતન ધર્મપ્રેમીઓને લાગી રહેલા ગૌ હત્યા પાપનું નિવારણ કરવા, દેશના સંતો-આચાર્યોને આંતરિક મતભેદો ભૂલી ગો-માતા માટે એકજુટ થઇ માનવ સમાજને ઉત્તમ નિર્ણ આપવાનો છે. સમગ્ર આયોજન સ્વત: સ્ફુર્ત ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આનંદોલન દ્વારા કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech