ગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી

  • May 13, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ગુજરાત સહિત દેશભરમાં સ્થિતિ સામાન્ય બની છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો ત્યારે ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની સરકાર દ્વારા રજા રદ કરવામાં આવી હતી અને રજા પર રહેલા કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર બોલાવી લીધા હતા. ત્યારે હવે સ્થિતિ સુધરતા જ ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ રજા લઈ શકશે તેવો પરિપત્ર બહાર પાડ્યો છે. સાથે જ આ પરિપત્રમાં જણાવ્યું છે કે, અનિવાર્ય સંજોગોમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. 



અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક હાજર થવું પડશે

જો કે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ-અધિકારીઓએ ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application