જામનગર મા ઢીચડા વાળા માર્ગે ભૂગર્ભ ગટર નું કામ કરવામાં આવનાર હોવા થી તા ૧૯ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ સુધી આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે . જે અંગે ની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકા નાં કમિશનર. ડી. એન. મોદી એ ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ ની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેમાં જામનગર મહાનગર પાલિકાની હદમાં ઢીચડા ગામ ના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ - ૧ મેઈન ગેઇટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા પર વાયુનગર મેઈન રોડ સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુ થી તા.૧૯-૦૨-૨૦૨૪ થી તા.૩૧-૦૩-૨૦૨૪ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે. જેનો અમલ કરવા નો કમિશનરે હુકમ ફરમાવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે નિયમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.
ઢીચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ ૧ મેઈન ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા પર વાયુનગર મેઈન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાયુનગર મેઈન રોડથી વાયુનગરની આંતરિક શેરી થઇ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઇ મારૂતિનંદનની આંતરિક શેરી થઇ બાલાજી પાર્ક ૩ મુખ્ય રસ્તા થઇ બાલાજી પાર્ક ૨ મુખ્ય રસ્તા થઇ બાલાજી પાર્ક ૧ મુખ્ય રસ્તા થઇ ડીફેન્સ કોલોની મુખ્ય રસ્તા થઇ દિજામ મિલ તરફ જવાનો રોડ ચાલુ રહેશે.
ઉપરાંત ઢીચડા ગામના મુખ્ય રસ્તા પાસે એરફોર્સ ૧ મેઈન ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા પર - વાયુનગર મેઈન રોડ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાયુનગર મેઈન રોડથી વાયુનગરની આંતરિક શેરી થઇ બળદેવનગરનો મુખ્ય રસ્તો થઇ બંસીધર સ્કુલ કનૈયા પાર્ક થઇ તિરુપતિ સોસાયટી મેઈન રોડ થઈ નીલકંઠ પાર્ક મેઈન રોડ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે. તેમ મ્યુનિ. કમિશ્નર જામનગર મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ નજર પર રાખો: આવકવેરા વિભાગે જારી કર્યો આદેશ
May 05, 2025 02:17 PMજામનગર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરુષનું મૃત્યુ
May 05, 2025 01:46 PMજામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: બે વૃઘ્ધાને હડફેટે લેતા ઇજા
May 05, 2025 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech