ખંભાળિયા તાલુકાના ભટ્ટગામ ખાતેના એક વાડી વિસ્તારના ખુલ્લા કૂવામાં એક માદા નીલ ગાય પડી ગઈ હોવા અંગેની જાણ સ્થાનિકોને થતાં તેઓએ તુરત આ નીલગાયને દોરડાની મદદથી બહાર કાઢ્યું હતું.
બહાર કાઢતા આ માદા નીલગાય બંને આંખે અંધ હોવાનું જણાતા તેઓ દ્વારા વન વિભાગ અને ભાણવડ એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો. જેથી એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો દ્વારા તુરત સ્થળ પર પહોંચીને આ અંધ નીલગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ બાદ આ નીલગાયને ભાણવડના શિવ બળદ આશ્રમ ખાતે લઈ જઈને વેટરનરી ડો. શિવમ વિસાવાડિયાની મદદથી પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ પછી નીલગાય અંધ હોવાથી તેને પ્રાકૃતિક આવાસ મુક્ત કરી શકાય તેમ ન હોવાથી તેની સુરક્ષા અને સારવારના હેતુથી વન વિભાગની મદદથી તેનું બરડા સ્થિત સાબર ઉછેર કેન્દ્ર ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર જીવદયાની પ્રવૃત્તિમાં ભટ્ટગામના સ્થાનિક લોકો, એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, હરસુરભાઈ ગઢવી, મેરામણભાઈ, અક્ષય, નિમિષ અને વન વિભાગના કર્મચારીઓએ જોડાઈ આ અબોલ પશુનો જીવ બચાવવાની પ્રસંશનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબરડામાં સિંહોનું નવું ઘર વસાવાની સરકારની કામગીરી પ્રશંસનીય: પરિમલ નથવાણી
May 22, 2025 11:09 AMયુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સ્ટેટમેન્ટથી ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પર ખતરો મંડરાયો
May 22, 2025 11:07 AMમોરબીના નિવૃત્ત પ્રોફેસરે પોરબંદરમાં પર્યાવરણની ધૂણી ધખાવી
May 22, 2025 10:58 AMજુઓ આદિતપરા ગામમાં કઈ રીતે વરસ્યો વરસાદ
May 22, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech