ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાના હેતુથી ગત વર્ષે કરાયેલા એક મહત્વપૂર્ણ કરારને બાંગ્લાદેશ સરકારે રદ કરી દીધો છે. બાંગ્લાદેશ માટે 800 ટનની આધુનિક દરિયાઈ ટગ બોટ બનાવવા માટે કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (જીઆરએસઈ)સાથે 21 મિલિયન ડૉલર (લગભગ રૂ. 180 કરોડ)નો સોદો થયો હતો.
આ કરાર જુલાઈ 2024 માં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બાંગ્લાદેશ નૌકાદળના સંરક્ષણ ખરીદી મહાનિર્દેશાલયના અધિકારીઓ અને જીઆરએસઈ વચ્ચે હસ્તાક્ષર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સોદો ભારત દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી 500 મિલિયન ડૉલરની સંરક્ષણ લાઇન ઓફ ક્રેડિટ હેઠળનો પ્રથમ મોટો પ્રોજેક્ટ હતો, જે 2023 માં અમલમાં આવ્યો હતો.
કેવી ટગ બોટ તૈયાર થવાની હતી?
ટગ બોટ વિશે વાત કરીએ તો તે 61 મીટર લાંબી બનાવવાની હતી અને તેની મહત્તમ ગતિ 13 નોટ્સ (લગભગ 24 કિમી/કલાક) સંપૂર્ણ લોડિંગ સાથે હોત. કરાર મુજબ, તેનું નિર્માણ અને ડિલિવરી 24 મહિનાની અંદર થવાનું હતું. આ સોદા સાથે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ પણ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી, જેનો ઉદ્દેશ્ય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા અને દરિયાઈ ભાગીદારીના નવા માર્ગો શોધવાનો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech