ખંભાળિયામાં બેંક ઓફ બરોડા દ્વારા કરાયું કિસાન પખવાડાનું આયોજન

  • November 22, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૃષિ લોનમાં રૂ. 20 કરોડનું વિતરણ કર્યું



ખંભાળિયામાં બેંક ઓફ બરોડાની જામનગર ક્ષેત્રીય કચેરી દ્વારા "કિસાન પખવાડા" કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિકાસ અને ગ્રામીણ વિકાસને ટેકો આપવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઇવેન્ટ દરમિયાન, બી.કે.સી.સી. (કિસાન ક્રેડિટ કાર્ડ), ફૂડ એગ્રો અને બી.એ.એચ.એફ.સી.સી. લોન સહિતની વિવિધ યોજનાઓ હેઠળ 100 થી વધુ ખાતાધારકોને  રૂ. 20 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી અને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને બેંકની કૃષિ લોન પહેલ હેઠળ આપવામાં આવતા લાભો અને તકો વિશે સુગમતા અને શિક્ષિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી જનરલ મેનેજર જે.બી. રોહડા, ક્ષેત્રીય પ્રબંધક ચંદન સિંહ, ઉપ ક્ષેત્રીય પ્રબંધક નવી સાહા સહિતના મહાનુભાવો સાથે બેંકનો સ્ટાફ અને લાભાર્થીઓનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બેંકે તેના ગ્રાહકો માટે વૃદ્ધિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને આધુનિક ટેક્નોલોજી અને વ્યક્તિગત આધારના મિશ્રણ સાથે શ્રેષ્ઠ બેંકિંગ સેવાઓ અવિરત રીતે પ્રાપ્ય બને તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application