બહ્મસમાજના યુવક-યુવતિઓએ વેલકમ નવરાત્રિમાં ભાગ લીધો
દ્વારકા શારદા પીઠાધિશ્વર પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજશ્રી ના આશીવર્દિથી શ્રી બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તક્ષશિલા સંકુલ દ્વારા તા. રપ ના રોજ રાસોત્સવ-2024નું બ્રહ્મસમાજના યુવક-યુવતિઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાસોત્સવમાં જામનગર શહેર ઉપરાંત સમગ્ર પંથકના જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ બધાના આશરે 2000 જેટલા બ્રાહ્મણ ખેલૈયાઓ ઉમટ્યા હતા તથા જ્ઞાતિ-પેટા જ્ઞાતિ-ગોળ-ગોત્ર વગેરે વિસરીને રમ્યા હતા, જામનગરની બ્રહ્મ સમાજની સહયોગી સંસ્થાઓ, મંડળો વગેરેના પ્રમુખો હોદ્દેદાર ભાઈઓ બહેનો અને કાર્યકરો સહિત આશરે 5000 જેટલા બ્રાહ્મણ પ્રેક્ષકોથી આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન મેયર વિનોદ ભાઇ ખીમસુરિયા, ડે.મેયર કિષ્નાબેન સોઢા, પ્રકાશભાઈ બાંભણીયા, કોર્પોરેટર સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તીબેન ખેતિયા, નિખિલભાઇ ભટ્ટ, પરશુરામ સેના, મહાદેવ મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ, શહેરની જુદી જુદી અલગ બધી પેટા જ્ઞાતિના પ્રમુખ જોગીનભાઇ જોષી, ચેતન ત્રિવેદી, સુનિલભાઇ ખેતિયા, પરેશભાઇ જાની, પરેશભાઈ ઠાકર, દિલીપભાઈ વ્યાસ, ઉમેશભાઈ ભટ્ટ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ ના આગેવાનો હાજર રહ્યા હતા તથા બ્રહ્મદેવ સમાજ ના આગેવાન હંસાબેન ત્રિવેદી, ઇલાબેન જોષી, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ તરફથી મનિષાબેન સુંબડ, જાગૃતિબેન ત્રિવેદી, વૈશાલીબેન જોષી, એસ.બી.શમર્િ સ્કૂલના બહેન પૂજાબેન શમર્,િ ઉત્સવ સમિતિના હર્ષદભાઇ ત્રિવેદી, મિહિરભાઇ શુકલ બ્રહ્મ અગ્રણી કાલાવડ તથા પત્રકાર મિત્રો ‘આજકાલ’ના હિરેન ત્રિવેદી, સંજયભાઇ જાની, જયેશભાઇ પારેલિયા, દિવ્યેશભાઇ વાયડા, જગતભાઇ રાવલ, જયેશભાઈ ઘોળકિયા, સચીનભાઇ જોશી વગેરે હાજરી આપી હતી.
સંસ્થાના સચિવ ગુણવંતભાઈ ભટ્ટના આયોજન મુજબ યોજાયેલ આ રાસોત્સવ પ્રસંગે ફાઉન્ડર ટ્રસ્ટીઓ સર્વ પી.સી ખેતીયા અને જયદેવભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ખેલૈયાઓને ઈનામના દાતા નિખિલભાઇ ભટ્ટ તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા અને મેહુલ ભાઇ દ્વારા પણ વિજેતાને ઈનામ આપવામાં આવ્યું હતું, કાર્યક્રમનું સંચાલન ડી કે ભટ્ટ, લલીતભાઈ જોશી તથા ઉત્પલભાઈ દવેએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech