તા.૨૧-૦૭-૨૦૨૪ના રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ભાવથી ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ થી ૯ પરિવ્રાજક કિશોરભાઈ ઉપાધ્યાયે હરસુખલાલ સણથરા અને હરસુખલાલ વ્યાસ – જયશ્રીબેન વ્યાસ દ્વારા ગુરુપૂજન કરાવ્યું. સવારે ૯ થી ૧૧ નવ કુંડી ગાયત્રી મહાયલનું સંચાલન પ્રિતિબેન સોલંકી, નિશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૨૪ વ્યક્તિઓએ મંત્રદીક્ષા લીધી. સાંજે ૪ થી ૫ સમૂહમાં ગાયત્રી મંત્રના જાપનું આયોજન ગાયત્રી ભવનમાં કરવામાં આવ્યું હતું આજ સમય દરમ્યાન ત્રિપદા ભવનમાં ૩૦ બહેનોના ગર્ભસંસ્કાર દર્શનાબેન પંડયાએ કરાવ્યા હતા. સાંજે ૫:૧૫ થી ૬:૩૦ દરમ્યાન પોતે ગાયત્રી પરિવારમાં કઈ રીતે જોડાયા તેની વાતો ગાયત્રી પરિજનોએ કરી હતી. સાંજે ૬:૩૦ થી ૭ દરમ્યાન યોજાયેલ દીપયશનું સંચાલન સી. પી. વસોયા દ્વારા કરવામાં આવ્યું. ૨૧૦૦ ફળાઉ રોપાનું વિતરણ કરી વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું. જેની વ્યવસ્થા સુનિતાબેન આહિર દ્વારા કરવામાં આવી હતી. આ પાવન દિવસે જામનગર જિલ્લા ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા રૂા.૩૬૫૦૦૮/- નું અનુદાન શાંતિકુંજ મોકલાવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech