દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા તાજેતરમાં દ્વારકા ખાતે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે યોગ સેશન આયુર્વેદિક પદ્ધતિથી નિદાન સારવાર, રસાયન દવાઓનું વિતરણ, ઋતુ અને વ્યસનમુક્તિ બાબતની પ્રદર્શની વિગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેનો લાભ 264 જેટલા દર્દીઓ લીધો હતો. સાથે જટીલ અને લાંબાગાળાના રોગોમાં જરૂરીયાતમંદ દર્દીઓને પંચકર્મ અને અગ્નિકર્મ ચિકિત્સા બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં કન્સલ્ટન્ટ મિત્તલબેન ગોહિલ, કો-ઓર્ડીનેટર ડો. શિલ્પાબેન, ડી.પી.એસ.ઈ. ના દિપાલીબેન પિંડારિયા, જી.એસ.વાય.બી. અંતર્ગત યોગ પ્રચારક કો-ઓર્ડીનેટર ધનાભા જડિયા, દ્વારકાના કો-ઓર્ડીનેટર વનીતાબેન ચાવડા, દ્વારકા ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા મંડળ પ્રમુખ હિમાબેન ઠાકર, શ્રી શંકરાચાર્ય આયુર્વેદ હોસ્પિટલ વરવાળાના સદસ્ય કિરણબેન વાયડા, ડો. અમી ગોકાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા આયુર્વેદ અઘિકારી વૈદ્ય વિવેક વી. શુક્લની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતથી કોઈ બોમ્બ કે લોકો આવતા નથી, હુમલાખોરો આપણા જ છે: પાકિસ્તાની સાંસદ
May 23, 2025 02:58 PMભારતીય સાંસદોની ફ્લાઈટ લેન્ડ થયા પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો
May 23, 2025 02:45 PMપીવાના પાણીની અછતને પહોંચી વળવા 74 ડેમમાં પાણીનો જથ્થો આરક્ષિત રખાયો
May 23, 2025 02:37 PMવિઝન 2047 માટે રાજ્યસરકાર દ્વારા નીતિ સુધારણા માટે કવાયત
May 23, 2025 02:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech