શહેરના ગોકુલનગર વિસ્તારમાં ખોટી શંકા રાખનારાઓને સમજાવવા જતા દંપતિને માર માર્યાની ત્રણ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામગનરના ગોકુલનગર સાયોના શેરીમાં રહેતા મજુરી કામ કરતા નરેશ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૨૫) નામના યુવાને ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં ગોકુલનગર શેરી નં. ૮/૪માં રહેતા સુનિલ રમેશ મકવાણા, મનિષાબેન સુનિલ મકવાણા અને બુધીબેન કેશુ મકવાણાની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત મુજબ ફરીયાદીના પત્ની ગામમાં કામ કરવા જાય છે જેના પર ખોટા શક વહેમ આરોપી રાખતા હોય આથી ફરીયાદી તેઓને સમજાવવા જતા ત્રણેય આરોપીઓએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી તેમજ તવી, પ્લાસ્ટીકની નળી વડે માર માર્યો હતો, દરમ્યાન ફરીયાદીના પત્ની છોડાવવા જતા તેને પણ મુંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી દઇ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએસટીના નિવૃત કંડક્ટરની નવા પગાર ફિક્સેશનની અરજી લેબરકોર્ટે ફગાવી
May 05, 2025 02:40 PMએડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ નજર પર રાખો: આવકવેરા વિભાગે જારી કર્યો આદેશ
May 05, 2025 02:17 PMજામનગર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરુષનું મૃત્યુ
May 05, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech