જામનગર રોજગાર કચેરી અને શ્રી ડી.કે.વી કોલેજ જામનગરનાં સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમિનાર યોજાયો
જામનગર રોજગાર કચેરી અને અને શ્રી ડી.કે.વી આર્ટસ & સાયન્સ કોલેજ જામનગરનાં સંયુક્ત ઉપક્રમે ઉદ્દીશા પ્રકલ્પ અન્વયે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી સેમીનાર યોજાયો હતો.
સેમીનારની શરૂઆતમાં રોજગાર કચેરી જામનગરના કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટએ રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલ છે..? તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે,તેની સવિસ્તાર માહિતી આપી એમ્પ્લોયમેન્ટ કાર્ડ અન્વયે ફોર્મ ભરાવ્યા હતા.
આ કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમીનારમાં આર્ટસ અને સાયન્સના એસ.વાય ટી.વાયના ૧૨૬ જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં ઉદ્દીશા કિમીટી ના આસિસ્ટન્ટ પ્રોફેસર એ.કે.મહીડા અને સી.કે.ગૌસ્વામી, કોલેજના આસીસ્ટન્ટ પ્રો. જે.એચ.પંડ્યા, સંચાલનકર્તા પ્રો. સી.એસ.દવે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનારનું આયોજન ઉદ્દીશા પ્રકલ્પ હેઠળ ડી.કે.વી કોલેજના આચાર્ય ડૉ.આર.યુ.પુરોહિતનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ નજર પર રાખો: આવકવેરા વિભાગે જારી કર્યો આદેશ
May 05, 2025 02:17 PMજામનગર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા પુરુષનું મૃત્યુ
May 05, 2025 01:46 PMજામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: બે વૃઘ્ધાને હડફેટે લેતા ઇજા
May 05, 2025 01:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech