છાત્રાલયની વિદ્યાર્થીનીઓને માહિતગાર કરાઈ: સિનિયર જજ, જિલ્લા કલેકટર, મામલતદાર, વકીલોની ખાસ ઉપસ્થિતિ
ગુજરાત સરકારના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ગઈકાલે મંગળવારે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી આહિર કન્યા છાત્રાલય ખાતે પણ બંધારણ દિવસ ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી એમ.આર. શુક્લા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી આર.આઈ. ચોપરા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા અહીંના મામલતદાર વી.આર. વરુ વિગેરેની ઉપસ્થિતિમાં ભારતના બંધારણની સવિસ્તૃત માહિતી અને લોકોપયોગી આર્ટિકલ વિશે કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
આ માટે અહીંના એ.પી.પી. અલ્પેશ પરમાર તેમજ સિનિયર એડવોકેટ વી.એચ. કનારા દ્વારા માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કલેકટર દ્વારા પણ પોતાના અનુભવો અને બંધારણ સંદર્ભેની જોગવાઈ બાબતે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી. ગોહિલ તથા સ્ટાફ અને જિલ્લા સરકારી વકીલની કચેરીના ડી.જી.પી. એલ.આર. ચાવડા અને અન્ય સરકારી વકીલો તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન અહીંના સિનિયર એ.પી.પી. એમ.એલ. ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech