ભાવનગર શહેરમાં કોરોનાએ ગતિ વધારી છે. ૯ વર્ષના એક બાળક સહિત ૩ યુવાનો કોરોનાથી સંક્રમિત થતા હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. હાદાનગરના કોરોના પોઝિટીવ દર્દીનું બ્રેઇનડેડથી મોત થયુ છે.
ભાવનગર શહેરમાં બુધવારે સાંજે ઘોઘા સર્કલ વિસ્તારના ૯ વર્ષિય બાળકના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ. તદઉપરાંત જામનગરથી વિજયરાજનગર આવેલ ૨૦ વર્ષિય યુવાન અને ધોલેરાના પીપળીથી મફતનગર આવેલ ૩૨ વર્ષિય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.
જ્યારે શહેરના હાદાનગર વિસ્તારના રહીશ ૩૯ વર્ષિય યુવાનને અકસ્માત બાદ ગંભીર ઈજા થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર્થે ખસેડવામાં આવ્યા હતા. જે યુવાન બ્રેઇનડેડ જાહેર થતા અંગદાન માટે સર.ટી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં આ કોરોના પોઝિટિવ દર્દીનું બ્રેઈનડેડથી મોત થયું હતું. ભાવનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી હાલ કોરોનાના ૯ પોઝિટિવ દર્દીઓ હોમ કોરોન્ટાઈનમાં છે.
જ્યારે કોરોનાથી સંક્રમિત શહેરના નિલમબાગ વિસ્તારના ૩૧ વર્ષિય યુવક, ઘોઘા રોડ વિસ્તારના ૫૫ વર્ષિય આધેડ અને ગાયત્રીનગર વિસ્તારના ૪૮ વર્ષિય આધેડ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech