આ ચર્ચાસ્પદ કેસની હકીકત એવી છે કે ચંદુભાઈ ભગવાનજીભાઈ પટેલ દ્વારા પોતે નાગજીભાઈ માવજીભાઈ પટેલના વારસદાર અને વહીવટકર્તા છે અને તેઓ જામનગર પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટની માલિકીની જગ્યા છે. તે પૈકીની જગ્યામાં તેઓ કાયદેસરના ભાડુઆત છે અને કબજેદાર અને ભોગવટેદાર હોય તેથી પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જાતે કે માણસો, એજન્ટ કે મુખત્યાર દ્વારા તેમનો કબજો છીનવે નહિ અને કબજામા હરક્ત, અડચણ કરે કે કરાવે નહિ તેવો દાવો જામનગર સીવીલ અદાલત સમક્ષ દાખલ કરેલ.
સદર દાવો સુનવણી પર આવતા પ્રતિવાદી ટ્રસ્ટ તરફે રોકાયેલ વકીલ ધવલ બી. વજાણી દ્વારા એવી રજૂવાત કરવામા આવેલ કે વાદી ચંદુભાઈ દ્વારા પોતે નાગજીભાઈ ના વારસ કે વહીવટકર્તા હોવા અંગે કોઈ પુરાવો રજૂ કરેલ નથી. કે તેઓ જગ્યાના કબજેદાર હોવા અંગે કોઈ પુરાવો રજૂ કરેલ નથી. તેથી ભારતીય પુરાવા અધિનિયમ તથા બોમ્બે રેન્ટ એકટની કલમો ઘ્યાને લેતા વાદીનો દાવો રદ થવા પાત્ર છે. જે તમામ રજૂઆતો માન્ય રાખી જામનગરના ૪થા એડી. સીનીયર સીવીલ જજ દ્વારા વાદી ચંદુભાઈ ભગવાનજીભાઈ પટેલનો દાવો રદ કરેલ છે.
ઉપરોક્ત કેસમાં પ્રતિવાદી જામનગર પટેલ કેળવણી ટ્રસ્ટ તરફે વકીલ પ્રદિપ પી. દેસાઈ, ધવલ બી. વજાણી, રાધા ડી. મોદી તથા આસિસ્ટન્ટ જાનકી ડી. ભૂત તથા માનસી ફટાણીયા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech