પોરબંદરમાં ગૌધનને કૃમિનાશક લાડુનુ અપાયુ ભોજન

  • June 07, 2025 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં છેલ્લા ૧૫ વર્ષથી ભીમઅગીયારસના પર્વે ગૌધનને કૃમિનાશક લાડુ આપવાનો સેવાયજ્ઞ ધમધમે છે તે વધુ એક વખત સંપન્ન થયો હતો.
ભગવતી રન્નાદે સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કૃમિનાશક દવા મિશ્રિત પૌષ્ટિક આહારમાં ભૂસો-ઘઉંનું  ભળકુ, ગોળ, ઘી, તલ, અજમા મિશ્રિત લાડુઓ પ્રતિવર્ષ મુજબ ભીમ અગીયારસના દિવસે  ટ્રસ્ટના કાર્યકર્તાઓ તેમજ મહિલા મંડળના બહેનો મળીને દશા સોરઠીયા વંડીમાં  ગૌ ભકતોના તન-મન-ધનના સહયોગથી અંદાજે ૫૫૭ આસપાસ લાડુઓ બનેલ હતા. જે આશ્રમ ગૌશાળા, પોરાઇ મા ગૌશાળા અને આનંદ ગૌશાળામાં વિતરણ કરી સેવા કરેલ હતી તેમ સંસ્થાના પ્રમુખ ભગીરથભાઇ ભરાણીયાએ જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application