જામનગરમાં તળાવની પાળે ઝેરી દવા પી લેનાર યુવાનનું મૃત્યુ

  • April 29, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તળાવની પાળે જંતુનાશક દવા પી લેનાર એક  યુવાનનું ચાર દિવસની  સારવાર પછી  મૃત્યુ નિપજ્યું  છે.


જામનગરમાં પ્રણામી સ્કૂલ સામેનાં વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર અરવિંદભાઈ દામા (૩૫) એ કોઈ અગમ્ય કારણોસર ગત તા. ૨૨ નાં તળાવની પાળે પહોંચી ત્યાં જંતુનાશક દવા પી લીધી હતી.


આથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.


આ બનાવ અંગે મૃતક ના પિતા અરવિંદભાઈ શંકરલાલ દામાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન ના પો સબ. ઈન્સ. એમ. કે. બ્લોચ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, તેમ જ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application