મૃતકની ઓળખ મેળવવા પોલીસ દ્વારા કરાતી તપાસ
જી.જી. હોસ્પીટલમાં સારવારમાં રહેલા એક અજાણ્યા વૃઘ્ધનું મૃત્યુ નિપજતા મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આશરે 60 વર્ષના અજાણ્યા પુષને અલ્સરની બિમારી હોય અને તેમનો ડાબો પગ ઓપરેશનથી કપાવેલો હોય જેમા રસી થઇ ગઇ હતી, જે બિમારી સબબ અત્રેની જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમ્યાન ગઇકાલે વૃઘ્ધનું બિમારી સબબ બેભાન થઇ જતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે સામાજીક કાર્યકર હિતેશગીરી ગોસાઇ દ્વારા સીટી-બી પોલીસમાં જાણ કરવામાં આવી હતી, પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ કરાવી કોલ્ડમમાં રાખવામાં આવ્યો છે, મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ પીએસઆઇ કે.એન. જાડેજા ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech