ઉનાળામાં જ મીઠા પાણીનો વેડફાટ કરતી પોરબંદર મહાનગરપાલિકાને અર્પણ

  • May 19, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના કમલાબાગ પાસે ઘણા લાંબા સમયથી પાણીની પાઇપલાઇન લીકેજ થઇ ગઇ છે અને મોટી માત્રામાં પાણી વેડફાઇ રહ્યુ છે.કમલાબાગના ઓવરહેડ ટેન્ક પાછળના ગેટ પાસેથી એમ.ડી.સાયન્સ કોલેજ સુધી ખૂબ મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર અલગ-અલગ વિસ્તારોમાં પાઇપલાઇન સમારકામ કરી રહ્યાના દાવા કરી રહ્યુ છે પરંતુ હાલમાં કમલાબાગ પાસે ઢોળાઇ રહેલા પાણી  અંગે કોઇ જ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી તેમ જણાવીને સામાજિક અગ્રણી લખમણભાઇ દાસાએ તંત્રનું ધ્યાન દોરીને વહેલીતકે તેનું સમારકામ કરાવવા માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application