જામનગર શહેરના મિલકત ધારકો રેસીડન્સી અને કોમર્શીયલ તેવા મિલકત ધારકોને ગત વર્ષ ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવેલ અને જામનગર મહાનગરપાલીકાને અનગીનત કરોડો રુપીયા જે વ્યાજ વધારે ચડી ગયેલ હોવાથી મિલકત ધારકોને તે રકમ ભરી ન શકતા જયારે ગત વર્ષના બજેટના બોર્ડમાં ૧૦૦ટકા વ્યાજ માફીની સ્કીમની અમલવારી થતા કરોડોની આવક નિજોરીમા જમા થઇ તો પછી પણ હજી કરોડો રુપીયા મિલકત ધારકો પાસે બાકી છે.
હાલ માત્ર ૫૦ ટકા વ્યાજ માફીનો સ્કીમ ચાલુ છે પણ તેના ૧૦૦ ટકા વ્યાજ માફી ફરીથી અમલવારી કરો તેવી મારી રજુઆત છે ખાસ કરી રાવડી જમીનોમા જે આપણે સર્વિસ યુઝર નામના બીલો આપેલા છે તે પૈકી પણ ઘણી રકમો બાકી છે મારુ એવુ માનવુ છે કે ૧૦૦ ટકા વ્યાજ માફી થાય તો કરોડોની આવક થશે, જામનગર શહેરમા પણ તમારી સરકાર અને ગુજરાતમા પણ તમારી સરકાર છે તો અનઅધિૃત બાંધકામોને રેગ્યુલાઇઝ કરી કાયદેસર પ્રોપર્ટી કરી આપવા યોગ્ય કરશો તેવી વોર્ડ નં.૧૫ના નગરસેવકે સ્ટે. કમિટીના ચેરમેનને લખેલા પત્રમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech