પોરબંદરથી ઉપડતી સોરાષ્ટ્ર મેઈલ ટ્રેન વાયા જામજોધપુર-જેતલસર દોડાવવા માંગ

  • November 25, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદર થઈ જામનગર જતી ટ્રેન સૌરાષ્ટ્ર મેલને વાયા જામ-જોધપુર જેતલસર દોડાવવામાં આવે તો આ ટ્રેનમાં જબરદસ્ત ટ્રાફિક મળે અને આ વિસ્તારને લાંબા ટ્રેની સુવિધા પણ મળી શકે જામ-જોધપુર વિસ્તારમાંથી બરોડા અમદાવાદ સુરત નિયમિત ખાનગી દશથી પંદર બસો ઉપડતી હોય છે વેપાર,ધંધા તેમજ વહેવારીક રીતે જામજોધપુર પંથક આ મેગા સીટી ગામેથી જોડાયેલ હોય છે.

તેથી પોરબંદર જામનગર થઇ દોડતી સોરાષ્ટ્ર મેઈલ જો જામજોધપુર જેતલસર દોડાવવામાં આવે તો પોરબંદર જામનગર વિસ્તારમાં જે આ ટ્રેનમાં નહીવત પેસન્જરોને ટ્રાફિક મળે છે તેમાના કરતા અનેક ગણો પેરન્જરોનો ટ્રાફિક વાયા જામજોધપુર જેતલસર રૂટમાં મળી શકે તેમ છે અને સરકારને આવકનો અનેક ગણો વધારો પણ થાય તેમ છે તેમ જામજોધપુર શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કંટારીયાએ જણાવી સૌરાષ્ટ મેઈલ ટ્રેનને વાયા જામજોધપુર જેતલસર દોડાવવા માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application