ઓખા-અયોધ્યા ટ્રેન સેવા શરૂ થાય તો સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો
વર્ષોની તપસ્યા બાદ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ભક્તિભાવપૂર્વક સંપન્ન થઇ છે જેની ઉજવણી દેશ-વિદેશમાં અને ગામડે ગામડે શેરી-શેરી મહોલ્લે મહોલ્લે થઈ છે.ત્યારે હાલારના યાત્રિકો ડાયરેક અયોધ્યા જઈ શકે તે માટે ઓખાથી અયોધ્યા ટ્રેન શરૂ કરવા લોક માંગણી ઉઠવા પામી છે.
અયોધ્યાવાસીઓ દ્વારકા કાન્હાના દર્શન તેમજ હાલાર અને સૌરાષ્ટ્રવાસીઓ રામલલ્લાના દર્શન કરી શકે તે માટે ડાયરેક ઓખા-અયોધ્યા-ઓખા ટ્રેન શરૂ થાય તો વેસ્ટર્ન રેલવેને પણ ખૂબ જ સારો ટ્રાફિક મળી શકે.ટ્રેન મારફત દ્રારકા અન્ય ધાર્મિક સ્થળો સાથે સીધી સેવા જોડાયેલી છે, ત્યારે અયોધ્યાથી પણ જોડાઈ તેવી લોકો આશા રાખી રહ્યા છે.
ટુંક સમયમાં જ ઓખા-બેટને જોડતો સીગ્નેચર બ્રિજનું પણ લોકાર્પણ થવાનું હોય ઉતર પ્રદેશ અયોધ્યાથી આવતા ભાવિકો યાત્રિકોને બોટ વિના ડાયરેકટ દાંડી હનુમાનજીના તેમ જ કૃષ્ણ કનૈયાના દર્શન કરી શકશે.
બન્ને યાત્રાધામોને જોડતી ડાયરેક ટ્રેન બન્ને પંથકના શ્રધ્ધાળુઓને આવાગમન માટે અનુકૂળ રહે ખાસ કરીનેવ જન્માષ્ટમીના તહેવારોમાં અયોધ્યાથી સેંકડો ભાવિકો દ્વારકા,બેટ દ્વારકા ઓખા આવતા હોય છે.આ યાત્રિકોને ડાયરેક ટ્રેન એક પણ ના હોય તેમજ હવે અયોધ્યા ખાતે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે સૌરાષ્ટ્રના અને સમગ્ર હાલારના ભક્તજનો અયોધ્યા દર્શન માટે અધીરા બન્યા છે ત્યારે વેસ્ટર્ન રેલવે તાકીદે અયોધ્યા ઓખા સીધી ટ્રેન શરૂ કરે તેમ હાલારવાસીઓ ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech