ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા યમુના પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે રાત્રે ભભુકી ઉઠેલી ભીષણ આગમાં એક મોટરકાર અને બે બાઈક સહિત ત્રણ વાહનો સંપૂર્ણપણે સળગી જવા પામ્યા હતા. આ આગના કારણે એક તબીબની મોટરકાર તેમજ બે મોટરસાયકલ સળગી જતા રૂપિયા 4.45 લાખની નુકસાની થયાનું ખુલવા પામ્યું છે.
આગના આ સમગ્ર બનાવ અંગે સીસી ટીવી ફૂટેજના આધારે અહીંના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે જુદી જુદી કલમ હેઠળ પેટ્રોલ પંપના સંચાલક તેમજ તેમના બે કર્મચારીઓ સહિતના શખ્સો સામે ગુનો નોંધી, આ પ્રકરણમાં પેટ્રોલ પંપ સંચાલક ધીરેન તુલસીભાઈ બારાઈ, જીગર પ્રકાશ રાઠોડ, અનુપકુમાર શ્યામસુંદર રાજભર (મૂળ રહે. બિહાર), પપુકુમાર લાલનરાય રાય (મૂળ રહે. બિહાર) અને ખંભાળિયામાં કુંભાર પાડો વિસ્તારમાં રહેતા આ વિસ્તારમાં વાણંદ કામની દુકાન ધરાવતા કૌશિક ધીરુભાઈ રાઠોડ નામના પાંચ શખ્સોની અટકાયત કરી, તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પ્રકરણમાં આગળની તપાસ પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા ગોમતી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, 2 લોકોની શોધખોળ
May 21, 2025 05:24 PMચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech