શ્રી ઉમિયાજી મહિલા બી.એડ કોલેજ ધ્રોલમાં તારીખ ૫-૯-૨૦૨૪ના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બીએચ ઘોડાસરા ( પૂર્વ કલેકટર) વિદ્યાર્થીની બહેનોને શ્રેષ્ઠ શિક્ષક કેવા હોવા જોઈએ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે જ્ઞાન પુરૂ પાડયું હતું. શ્રી ઉમિયાજી મહિલા કોલેજના ડાયરેક્ટર મોટીવેશનલ સ્પીકર ભગવાનજીભાઈ કાનાણીએ ભારતના મહાન દાર્શનિક તેમજ વિશ્વ શિક્ષક ડો. રાધાકૃષ્ણની દીર્ઘ શિક્ષણ યાત્રા અને જીવનની સિદ્ધિઓ અંગે સુંદર વાર્તાલાપ કર્યો હતો અતિથી વિશેષ સુરેન્દ્રનગર બીએડ કોલેજ ના પ્રિન્સિપાલ શાંતિલાલ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2023 -24 વીશે મહત્વની જાણકારી આપી હતી.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર રમેશભાઈ વાંસજાડિયા બી.એસ.સી કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ભેસદડિયા સાગર તેમજ બી.એડ અને બીએસસી ના સ્ટાફ મિત્રોએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો. અંતમાં શિક્ષક દિન માં ભાગ લીધેલ બહેનોને પ્રથમ દ્વિતીય અને દ્વિતીય અને દ્વિતીય નંબર મેળવનાર બહેનોને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બી એચ ઘોડાસરા અને કોલેજના ડાયરેક્ટર ભગવાનજીભાઇ કાનાણીના હસ્તે પુસ્તકો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રો રેખાબેન સી કગથરાએ કરેલ. મહેમાનો ની આભાર વિધિ બી એડ કોલેજના પ્રિન્સિપાલ ડૉ હીનાબેન કાનાણીએ કરેલ હતી.તેમ શ્રી ઉમિયાજી મહિલા બી.એડ.કોલેજ ધ્રોલના પ્રિન્સિપાલની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech