ઇટ્રા દ્વારા અમ્લપિત્ત (હાઇપરએસિડિટી) માટે નિદાનચિકિત્સા કેમ્પ

  • November 18, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇ.ટી.આર.એ. ખાતે પંચકર્મ વિભાગમાં અમ્લપિત્ત એટલે કે ભારે એસીડિટી પિડિત દરદીઓ માટે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે પંચકર્મ વિભાગમાં તા. ૨૧ નવેમ્બરના રોજ શુક્રવારે સવારે ૯ થી ૧૨:૩૦ સાંજે ૪ થી ૬ તેમજ ૨૨ નવેમ્બરે શનિવારે સવારે ૯ થી ૧૨:૩૦ દરમિયાન ઓ.પી.ડી. નંબર ૧૨-એ, આઇ.ટી.આર.એ. કેમ્પસ ખાતે રહેશે.
​​​​​​​

અત્રે ઉલ્લેખનીય છે કે એક અનુમાન અનુસાર વર્તમાન બદલાતી જીવનશૈલીને કારણે હાઇપરએસિડિટીનો દર દેશમાં ૮ થી ૩૦% સુધી પહોંચી ચૂક્યો છે! તેના લક્ષણોમાં સામાન્ય પાચન તકલીફ, વધુ પડતી એસીડિટી, પેટમાં બળતરા, ખાટા ઓડકાર, ભૂખ ન લાગવી, નબડાઇ અને ઉલ્ટી જેવા હોય છે. આ સમસ્યાનો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો પેટમાં અલ્સર, ભારે ગેસ-અપચો, માથાનો દુ:ખાવો, અનિદ્રા અને ચિડિયાપણું વધી શકે છે.

આ કેમ્પમાં પંચકર્મ પધ્ધતિથી નિષ્ણાત વૈદ્યો દ્વારા નિ:શુલ્ક નિદાન-સારવાર આપવામાં આવશે ઉપરાંત વ્યક્તિગત આહાર-વિહાર, જીવનશૈલી સુધાર અને જરૂરી કિસ્સામાં વમન-વિરેચન પણ કરી આપવામાં આવશે. આ નિદાન-ચિકિત્સાનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application