ખંભાળીયાના હરિનામ સંકીર્તન મંદિરનપોણા બે કરોડના દાનની સ્વીકૃતી આપતા રિલાયન્સના ધનરાજ નથવાણી

  • November 29, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાર્થના સભા, ભોજનાલય અને અતિથિ મ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે


જામખંભાળીયામાં આવેલ શ્રી હરિનામ સંકીર્તન મંદિરની જગ્યામાં ભવ્ય અને દિવ્ય સંકીર્તન મંદિરની પ્રાર્થનાસભા, ભોજનાલય અને અતિથિ મ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં માટે નથવાણી પરિવાર તરફથી પોણા બે કરોડનું માતબાર દાન આપવા સ્વીકૃતિ અપાઇ છે, આ બદલ ગુજરાત લોહાણા મહાજનના અઘ્યક્ષ જીતુ લાલ દ્વારા ધનરાજભાઇ નથવાણીનો આભાર માનવામાં આવ્યો છે.


જામખંભાળિયા સ્થિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરની જગ્યામાં ભવ્ય અને દિવ્ય સંકીર્તન મંદિરની સાથે પ્રાર્થના સભા, ભોજનાલય અને અતિથિ મ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી દ્વારા ા.1 કરોડ 75 લાખથી વધુ દાનની સ્વીકૃતિ આપવામાં આવી છે. ત્યારે, જામખંભાળિયા સ્થિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરનાં ટ્રસ્ટી અને જામનગરના બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીની મુલાકાત કરી તેમનો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર  પરિમલભાઈ નથવાણી  તથા રિલાયન્સ ગ્રુપનો આભાર માન્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application