જાહેર સ્થળોએથી ભીતચીત્રો ઉપર કાળો કલર લગાવી દેવાયો: ૫૬ લાઇટીંગ બોર્ડ હટાવાયા
આગામી લોકસભાની ચૂંટણીને લઈને જામનગર શહેરમાં આચારસંહિતાની અમલવારીનો પ્રારંભ કરી દેવાયો છે, તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી ત્રણ ટુકડીઓ બનાવીને રાજકીય પક્ષોના પ્રચાર પ્રસારના બોર્ડ વગેરે ઉતારવાનું શરૂ કરી દેવાયું હતું, જેમાં ૬૫૬ જેટલા હોર્ડીગ્સ, લાઇટીંગ બોર્ડ, ભીતચીત્રો, પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે.
સીટી ઇજનેર ભાવેશ જાનીની સુચનાથી એસ્ટેટ શાખાના વડા નિતીન દીક્ષીત, સુનીલ ભાનુશાળી સહિતના અધિકારીઓએ શરુ કર્યુ હતું, ત્રણ દિવસના સમય ગાળા દરમિયાન લાલ બંગલા સર્કલથી એરોડ્રોમ સુધીના માર્ગે લગાવેલા હોર્ડિંગ- બોર્ડ વગેરે ઉતારવાનું શરૂ કરાયું હતું. તે જ રીતે પંડિત નહેરુ માર્ગથી ગુલાબનગર સુધીના માર્ગે તથા સાધના કોલોનીથી રણજીતસાગર સુધીના માર્ગ પર લગાવવામાં આવેલા કુલ ૬૫૬ હોર્ડિંગ, બેનર, પોસ્ટર વગેરે ઉતારી લેવાયા છે. આ કાર્યવાહીમાં ૪૮૮ ભીતચીત્રો દુર કરવામાં આવ્યા હતાં, અત્યાર સુધીમાં ૬૫૬ બેનર, પોસ્ટર, ભીત ચીત્રો દુર કરાયા છે જેમાં ૫૬ લાઇટીંગ બોર્ડ, ૪૦ બેનર અને ૪૨ પોસ્ટર પણ દુર કરી દેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં હજુ પણ જાહેર સ્થળોએ હોર્ડીંગ્સ, ભીત ચીત્રો કે અન્ય બેનર દેખાશે તો તે તાત્કાલીક અસરથી દુર કરી દેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech