જામનગર ખાતે ગુરુદ્વાર ગુરુ સિંઘ સભામાં ગુરુ ગોવિંદ સિંઘજીની ૩૫૮મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક મનાવવામાં આવી હતી. તા ૧૭ જનવરી ના રોજ સવારે ૮ વાગે ગુરુદ્વારાથી જી જી હોસ્પિટલ સુધી નગર કીર્તન રૂપે જઈને ગુરુ ગોબિંદ સિંઘજી પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું હતું જેમાં જી જી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દીપક તિવારી, ડીન ડો. નંદિનીબેન દેસાઈ, વસાવડા તથા હોસ્પિટલના સ્ટાફ અને એક્સ આર્મીમેન અને ગુરૂદ્વારની સંગતની હાજરીમા હોસ્પિટલ ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલમાં દર્દીઓના સ્વસ્થ જલ્દી ઠીક થાય એવી પ્રાર્થના કરાઈ હતી. ગુરુદ્વારા ખાતે સેજ પાઠજી ની સમાપ્તિ સવારે ૧૦:૩૦ વાગે કરવા આવી હતી, તે પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, પંજાબ થી વિશેષ રુપથી પધારેલા જ્ઞાની પ્રિતપાલ સિંઘ અને ભાઈ મહોર સિંઘજી એ કથા,શબ્દ કીર્તન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યા લોકો ગુરુદ્વારા ખાતે શ્રદ્ધાળુએ માથું ટેકીને શબ્દ કીર્તનનું લાભ લીધો હતો, ત્યારબાદ ગુરુકા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ દર્શન તેમજ પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech