સુંદરકાંડની ચોપાઈ દ્વારા યોજાશે હોમાત્મક યજ્ઞ-મહાઆરતી
જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર " રામવાડી " જયશ્રી ભોલેબાબા આશ્રમ ખાતે આગામી તારીખ ૧૨/ ૪ / ૨૫ ને શનિવારના રોજ શ્રી હનુમાન જ્યંતીના પાવન પુણ્યશાળી પર્વ શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજના પાવન સન્મુખ તૅમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ ભોલેબાબાજીના આશીર્વાદથી હનુમાન જ્યંતી નિમિતે શનિવારના રોજ સવારે ૭ : ૦૦ ક્લાકે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે, તેમજ સવારે ૯ : ૦૦ થી ૧૧ : ૦૦ દરમ્યાન સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા આહુતિ સાથે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજના પાવન સન્મુખ પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞ રાખેલ છે.
આ ધાર્મિક કાર્યમાં જે ભાવિકો યજ્ઞમાં બેસવા ઈચ્છતા હોય એમને ગુરૂવાર સુધીમાં રામવાડી આશ્રમ ખાતે નામ લખાવી દેવા જણાવાયું છે, આ ઉપરાંત હનુમાન જ્યંતીના પાવન પર્વ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજની મહાઆરતી ઢોલ-નગારા અને ઝાલરો સાથે થશે. ત્યારબાદ આમંત્રીત મહેમાનો માટે બપોરે મહાપ્રસાદ યોજાશે તૅમજ સાંજે ૪ : ૦૦ થી ૭ : ૦૦ દરમ્યાન સંગીતમય સુંદરકાડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, સકીર્તન રાખેલ છે.
આ પ્રસંગે સૌ સાધક ભાવિક ભક્તજનો સામુહિકમાં સુંદરકાંડના પાઠ કરશે, ત્યારબાદ સાંજે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજની દીપમાળા સાથે ઢોલ-નગારા અને ઝાલરોના નાદથી મહાઆરતી કરવામાં આવશે, તો સર્વે ભાવિકોને દર્શનનો ધર્મલાભ લેવા ઉદાસીન સંત કુટિર રામવાડી આશ્રમ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech