જામનગર તથા આસપાસના 24 જેટલા ગામડાઓમાં હજારો સ્વયંસેવકો દ્વારા યોગ અને વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન
શહેરમાં હાર્ટફુલનેશ ઇન્સ્ટીટયુટ દ્વારા જામનગર અને શહેર-જિલ્લામાં વૃક્ષોનું વાવેતર કરવાનું નવું અભિયાન શ કરી દેવામાં આવ્યું છે, જામનગર શહેરમાં 50 હજારથી વૃક્ષો વાવવામાં આવશે, એટલું જ નહીં શહેરની આસપાસ 24 જેટલા ગામડાઓમાં સ્વયંસેવકો દ્વારા નિયમીત ઘ્યાનના કાર્યક્રમો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો છે, હાલારમાં લગભગ દશેક હજાર જેટલા સ્વયંસેવકો સેવા-ભાવના રાખીને કામ કરી રહ્યા છે તેમ પત્રકાર પરીષદમાં જણાવાયું હતું.
સંસ્થા અંગેની માહિતી આપતા અક્ષતભાઇ વ્યાસે કહ્યું હતું કે, શહેરમાં હાપા ખાતે મનપાના મેદાનમાં વૃક્ષોનું વાવેતર થઇ રહ્યું છે, કેવા રોપા વાવવા, કયુ ખાતર નાખવું, કેટલું અંતર રાખવું તે અંગે માર્ગદર્શન આપીને ઓર્ગેનીક પઘ્ધતિથી વૃક્ષો વાવ્યા છે અને ફકત ચાર મહીનાના ગાળામાં આ વૃક્ષ અત્યારે આઠથી દશ ફુટ થઇ ગયા છે. આવી જ રીતે સોનલનગરમાં પણ સંખ્યાબંધ વૃક્ષો વાવવામાં આવશે, અગાઉ અન્નપૂણર્નિા મંદિરના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
હાર્ટફુલ ઇન્સ્ટીટયુટની સ્થાપના 1985માં થઇ હતી, શ્રીરામ ચંદ્ર મીશનનું નામ હતું, હવે 160 દેશોમાં હાર્ટફુલ ઇન્સ્ટીટયુટ બની ગઇ છે, હૈદ્રાબાદમાં સંસ્થાનું મુખ્યાલય કાન્હા શાંતિવન છે, જેમાં સંસ્થાના વડા કમલેશભાઇ પટેલ (દાજી) છે, તેઓ આગામી દિવસોમાં જામનગરની મુલાકાત લે તેવી પણ સંભાવના છે, સંસ્થા દ્વારા લોકોને યોગ પણ શીખડાવવામાં આવે છે, લોકોમાં સફાઇની ભાવના કેળવાય અને દરરોજ પ્રાર્થના કરવામાં આવે તે રીતે પાંચ હજાર કેન્દ્રો હાઇસ્પોર્ટસ તરીકે ઓળખવામાં આવે છે.
જામનગરમાં પણ આગામી દિવસોમાં 50 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવશે, હાર્ટફુલનેશની ઘ્યાનની પઘ્ધતિ દ્વારા કોઇપણ વ્યકિતને નિ:શુલ્ક ઘ્યાન શીખવવામાં આવશે, આ પત્રકાર પરીષદમાં ગુજરાત ફોરેસ્ટ વિભાગના નિવૃત વડા અશોકભાઇ સકશેના, એઇમ્સના નિવૃત ડીન ડો.વિવેધ શમર્,િ જામનગરના અક્ષતભાઇ વ્યાસ, સચીનભાઇ વ્યાસ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં, હાલમાં હાપા નજીક કે જયાં ગણેશકુંડ સ્થાપવામાં આવે છે તે જગ્યામાં કોર્પોરેશને વૃક્ષો ઉગાડવા છુટ આપી છે અને આગામી દિવસોમાં સોનલનગરમાં પણ સંસ્થા દ્વારા અનેક વૃક્ષો વાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech