નગરપાલિકા કર્મીઓમાં ખુશીની લહેર
રાજયની નગરપાલિકાઓમાં સરકાર દ્વારા મહેકમ ખર્ચની મર્યાદા નિયત કરાયા છે. જેમા મહેકમ ખર્ચની મર્યાદા જાળવવાની જવાબદારી પાલિકાના વહીવટી તંત્રની હોય છે.
ખંભાળિયા પાલિકામાં બિન જરૂરી મનાતા ખર્ચાઓના કારણે પાલિકાનું મહેકમ ખર્ચ વધી જતાં પાલિકાની મહેસુલી આવક વધારવાના બદલે પાલિકાના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવા પાલિકાના કર્મચારીઓને મળતા સાતમાં પગાર ધોરણ પ્રમાણે મળતા પગારમાં ઘટાડો કરવા પાલિકાના ચીફ ઓફિસરએ તા. 18 એપ્રિલ 2024 ના રોજ કર્મચારીઓને મળતુ સાતમુ પગાર ધોરણ પરત ખેંચવા અંગેનો દફતરી હુકમ કર્યો હતો. જેની સામે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા ગુજરાતની વડી અદાલતમાં આ આદેશને પડકારવામાં આવ્યો હતો.
આના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરના તા. 18 એપ્રિલના દફતરી હુકમ સામે આજરોજ બુધવાર તા. 24 ના રોજ મનાઈ હુકમ ફરમાવતા પાલિકાના કર્મચારીઓમાં આનંદ અને ખુશીની લહેર છવાઈ હતી. જેથી પાલિકા કર્મચારીઓએ ફટાકડા ફોડીને સૌના મોં મીઠા કરાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં ભાજપની ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો
May 15, 2025 11:20 AMશિકારીવૃતિના હિંસક કૂતરાં હવે પાળી શકાશે નહીં: અમદાવાદની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત
May 15, 2025 11:09 AMમોરબીના શનાળા ગામ નજીક આઠ માળનું ગેરકાયદે બિલ્ડિંગ સીલ કરાયું
May 15, 2025 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech