સીટી એ યુનિટ હોમગાર્ડઝ જામનગર નાં હોમગાર્ડ સભ્ય અશ્વિન દેવજીભાઈ વારા એ 16 વર્ષ હોમગાર્ડઝ દળમાં દીર્ઘકાલીન માનદ ફરજકાળ દરમ્યાન તમામ ફરજો જેવી કે ચુંટણી, ઈમરર્જન્શી, બહારગામ,રૂટિન તહેવારોની ફરજો તેમજ તાલીમ પરેડ માં ઉપસ્થિત રહી એક નિયમિત હોમગાર્ડઝ સભ્ય તરીકે છાપ ઉભી કરી દળમાંથી વયમયર્દિાનાં કારણે નિવૃત થતા તેઓને દળ ની પ્રણાલિકા મુજબ કમાન્ડન્ટ ગીરીશભાઈ સરવૈયા નાં માર્ગદર્શન અને ઓફિસર કમાન્ડીંગ હિતેશભાઈ જેઠવાના નેતૃત્વમાં વિદાય બહુમાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શઆતમાં સીટી એ યુનિટનાં ઓફિસર કમાન્ડીંગ હિતેષભાઈ જેઠવા દ્વારા શાલ, સન્માનપત્ર અને પુષ્પાહર દ્વારા અશ્વિનભાઈ વારાનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં વારાનાં પરિવારનાં હોમગાર્ડ સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,આ કાયક્રમ માં સીટી બી- યુનિટનાં ઓફિસર કમાન્ડીંગ જયેશ રાણા, સીટી એનાં અધિકારી વ્યાસ, પુરોહિત, સીટી બી નાં ઓઝા, તથા સીટી સીનાં કણજારિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંદ્રેશભાઈ વારા પરેશભાઈ મહેતા, મનોજ વારા ચિરાગભાઈ મકવાણા, દેવન્દ્ર પરમાર વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech