જામનગરમાં એક વર્ષના લગ્નગાળામાં પરણીતાનો ગળાફાંસો

  • April 29, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર માં જેસીઆર મોલ પાછળ ના વિસ્તાર માં રહેતી એક સતવારા જ્ઞાતિ ની પરણીતા એ  આજે સવારે આત્મહત્યા કરી લીધી હતી .એક સામાજિક પ્રસંગમાં જવા માટે પતિ એ ઘરકામ પતી ગયા પછી જવાનું કહેતા તેણીને માઠુ લાગી ગયું હતું અને આ પગલું ભર્યા નું પોલીસ માં જાહેર થયું છે .તેણી ના લગ્ન ફક્ત એક વર્ષ પહેલા જ થયા હતા.


જામનગરના જેસીઆર મોલ પાછળ, સેંટ્રોજાન ગ્રીન સોસાયટીમાં રહેતી માનસીબેન સુનિલભાઈ કાછટીયા નામની ૨૫  વર્ષ ની સતવરા  જ્ઞાતિ ની પરણીતાં એ  આજે સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે તેણીના પતિ સુનિલ કાછટીયા એ પોલીસને જાણ કરી હતી.


આથી પોલીસ સબ ઇન્સ.એલ બી  જાડેજા તપાસ માટે દોડી ગયા હતા .જેમાં પ્રાથમિક તપાસમાં કેવું કારણ જા કરવામાં આવ્યું  હતું કે જ્ઞાતિમાં એક સામાજિક પ્રસંગ હોવા થી માનસીબેન ને ત્યાં જવું હતું. પરંતુ તેણી ના પતિએ ઘર કામ પતી ગયા પછી જવાનું કહેતા તેણી ને માઠુ લાગી ગયુ હતું. અને ગળાફાંસો ખાઇ પોતાની જીવા દોર ટુંકાવી લીધી હતી.મૃતક  માનસી બેન ના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application