ભારતીય વાયુસેના દ્વારા લાલપુરના ગોવાણા ગામે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિગ

  • November 18, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેકનિકલ ખામીના કારણે ગામની સીમમાં ઉતર્યુંઃ ખામી દૂર થતાં પુન: ઉડાન ભરી


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમા ઇન્ડિયન એરપોર્ટ નું હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડ કરાયું હતું. જ્યારે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ગોવાણા ગામની સીમમાં ઇન્ડિયન એરફોર્સ નું હેલિકોપ્ટર ઈમરજન્સી લેન્ડ કરાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો એકઠા થયા હતા અને થોડીવાર માટે લોકો વિચારતા થઈ ગયા હતા કે હેલિકોપ્ટરને ઇમર્જન્સી લેન્ડિંગ કયા કારણોસર કરવામાં આવ્યું હતું.


જ્યારે ગોવાણા ગામની સીમમાં ઇન્ડિયન એરફોર્સ નું હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, ત્યારબાદ ટેકનિકલ ખરાબી દૂર થતા ફરી ઉડાણ ભરી હતી. તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા હતા અને ગ્રામ્ય વિસ્તારના તેમજ વાડી વિસ્તારના લોકો એકઠા થઈ હેલિકોપ્ટર ઉડાણ ભરી હતી.


ઇન્ડિયન એરફોર્સ નું હેલિકોપ્ટર લેન્ડિંગ કરાયું હતું ત્યારબાદ તાત્કાલિક વાયુ સેનાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી આવ્યા હતા અને હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ એરફોર્સના જવાનો દ્વારા હેલિકોપ્ટરને ચો તરફ ઘેરી લીધું. અને તાત્કાલિક સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી.અને ત્યારબાદ ખરાબી દૂર થતા વાયુસેનાનું હેલિકોપ્ટર ઉડાણ ભરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application