ઉદ્યોગકારો સાથે વાતચીત કરીને અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા: ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીના નિવારણ અને વિકાસની શકયતાઓ ચકાસવામાં આવી
જામનગરમાં ભારત સરકારની રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી (એન.એસ.એસ.ઓ.)ની ટીમ આજે જામનગરના ઉદ્યોગ નગરમાં આવી પહોંચી છે. આ ટીમ જામનગરના ઉદ્યોગો, ખાસ કરીને બ્રાસ પાટ્ર્સ ઉદ્યોગના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે અહીં આવી હતી અને બ્રાસ ઉદ્યોગના વિકાસનું સર્વગ્રાહી મુલ્યાંકન કરવા સર્વે કર્યો, આ સર્વેમાં ઉદ્યોગકારો સાથે વાતચીત કરીને તેમના ઉદ્યોગોની તકનીકી વિગતો મેળવવામાં આવી હતી. આ સર્વે દ્વારા ઉદ્યોગોમાં આવતી મુશ્કેલીઓ અને વિકાસ માટેની શક્યતાઓને ઓળખવામાં મદદ મળશે. ભારત સરકારની રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી (એન.એસ.એસ.ઓ.) 1950થી ભારતમાં વિવિધ સર્વેક્ષણો કરતી આવી છે.
વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) ભારતમાં ઉદ્યોગિક આંકડાનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વેક્ષણ 2008ના સંગ્રહ આંકડા (સી.ઓ.એસ.) અધિનિયમ અને 2011માં બનાવેલા નિયમો હેઠળ વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. આ સર્વે હેતુ 2023.24ના એ.એસ.આઈ. રિટર્નને સમયસર ભરવા માટે ઉદ્યોગ એકમો/ઉદ્યોગસાહસિકોને એ.એસ.આઈ. 2023-24 શેડ્યૂલના સ્વ-સંકલનની પ્રક્રિયાને સમજવા માટે જાગૃત કરવાનો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ભરવા માટે પસંદ કરાયેલ ઉત્પાદન ક્ષેત્રના કારખાનાઓના પ્રતિનિધિઓ જોડાઈ શકે છે.
આ સર્વેનું ઉદ્ઘાટન એન.એસ.ઓ.,એમ.ઓએસ.પી.એલ.ના પ્રાદેશિક કચેરી, (અમદાવાદ)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો. નિયતિ જોશીએ કર્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લાના જિલ્લા આંકડા અધિકારી બિનલ સુથાર, જામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શોભના એમ રાઠોડ અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ એમ. ડાંગરીયા અને લાખાભાઈ કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે નીતિઓ બનાવવામાં મદદરૂપ થશે. આ સર્વે દ્વારા ઉદ્યોગોના કુલ ઘરેલુ ઉત્પાદનમાં (જી.ડી.પી.) યોગદાનનો અંદાજ પણ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech