ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો અને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરી પ્રશ્નનો ઉકેલ લાવીશું તેવું ટ્વીટ એમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું. જેને લઈને આજે વિદેશ મંત્રાલય દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમને જવાબ આપી દેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, કાશ્મીર પર બીજા દેશ દ્વારા મધ્યસ્થી સ્વીકાર્ય નથી. આ મુદ્દો દ્વિપક્ષીય છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, "કાશ્મીર પર ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે. મુદ્દો ફક્ત PoK ખાલી કરવાનો છે." વિદેશ મંત્રાલયે કહ્યું, "પીઓકે પર ભારતનું વલણ સ્પષ્ટ છે. જમ્મુ અને કાશ્મીર ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે. પાકિસ્તાનના પહેલા મુદ્દા પર ડીજીએમઓ સાથે વાત કરી છે.
અમે ગોળીઓનો જવાબ ગોળીઓથી આપીશું
વિદેશ મંત્રાલયે કહ્યું, "જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. આતંકવાદીઓના પાકિસ્તાન સાથે જોડાણના પુરાવા છે. અમે પાકિસ્તાનની ગોળીઓનો જવાબ ગોળીઓથી આપીશું. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો સાથ આપશે ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે." સિંધુ જળ સંધિ અંગે, વિદેશ મંત્રાલયે કહ્યું, "જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી ભારત સંધિને સ્થગિત રાખશે."
અમારી નીતિમાં કોઈ ફેરફાર નથી - વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રીએ કહ્યું, "અમારો લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યો છે કે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને લગતો કોઈપણ મુદ્દો ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવે. આ નીતિમાં કોઈ ફેરફાર નથી. જેમ તમે જાણો છો, એકમાત્ર પેન્ડિંગ મામલો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતીય પ્રદેશ ખાલી કરાવવાનો છે."
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "સિંધુ જળ સંધિ સંધિની પ્રસ્તાવનામાં ઉલ્લેખિત સદ્ભાવના અને મિત્રતાની ભાવનાથી પૂર્ણ થઈ હતી. જોકે, પાકિસ્તાન દાયકાઓથી સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપીને આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હવે 23 એપ્રિલના CCS નિર્ણય મુજબ, ભારત સંધિને સ્થગિત રાખશે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech