જામનગર રોજગાર કચેરી દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજાશે

  • October 07, 2025 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકથી ટાઉનહોલ જામનગર ખાતે વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજવામાં આવશે. 

આ કાર્યક્રમમાં રોજગાર કચેરીનાં માધ્યમથી નીમણૂક પામેલ ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર પત્રક વિતરણ કરવામાં આવશે. તથા ઔધોગિક તાલીમ સંસ્થાના આધુનિકરણ માટે વિવિધ ખાનગી કંપનીઓ સાથે MoU અને સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ(PoL) પણ આપવામાં આવનાર છે. તેમ જામનગર જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application