ભારતીય જનતા પાર્ટી ના સંવિધાન મુજબ પ્રત્યેક ૬ વર્ષે સદસ્યતા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે, આ તબક્કે દેશ તથા પરદેશમાં રહેતા ભારતીયો ફરીથી સદસ્યતા મેળવે છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક પ્રાથમિક સદસ્યો ને સક્રિય સભ્ય બનવાની ટક પ્રદાન કરે છે, જે અંતર્ગત નિશ્ચિત સભ્ય નોંધણી પશ્ચાત પ્રાથમિક સદસ્ય - સક્રિય સભ્ય બની પક્ષ માં વિશેષ જવાબદારી નો નિર્વાહ કરી શકે છે. આ અંતર્ગત સદસ્યતા અભિયાન ના બીજા પડાવ અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સક્રિય સદસ્યતાની કામગીરીના પ્રારંભ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી, શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ.
આ તબક્કે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સક્રિય સદસ્ય અભિયાન ના ઇન્ચાર્જ ભાનુભાઇ મહેતા, સુરેશ વસરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિત શહેર સંગઠનના હોદેદારો, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech