શહેરનાં ટ્રાફિકની જવાબદારી માત્ર 96 ટ્રાફિક કર્મચારીઓ પર આમાંથી અડધાથી વધુ છે અસ્થાયી
દરેક શહેરની જેમ અહીં જામનગરમાં પણ લોકો દિવસેને દિવસે નવા વાહનોની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે માર્ગો પર દોડતા વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જામનગરની સ્થિતિ પણ તેનાથી અજાણ નથી. સાંજ સુધીમાં ટ્રાફિક એટલો ભારે થઈ જાય છે કે ક્યારેક ટ્રાફિક જામના સમાચાર હેડલાઈન્સ બની જાય છે. અંદાજો લગાવી શકો કે 6 લાખથી વધુ વસ્તી ધરાવતા જામનગર શહેરના ટ્રાફિક માટે કેટલા પોલીસકર્મીઓ હશે. આશ્ચર્ય પામશો નહીં, જવાબ માત્ર 96 ટ્રાફિક કર્મચારીઓ જ છે.
અડધાથી વધુ કર્મચારીઓ છે અસ્થાયી
જામનગર શહેરની વસ્તી 6.79 લાખ છે. તો સામાન્ય છે કે વાહનો પણ મોટી સંખ્યામાં રસ્તાઓ પર દોડતા હશે, જેને નિયંત્રિત કરવા માટે માત્ર 96 પોલીસકર્મીઓ તૈનાત છે. જેમાં 5 અધિકારીઓ સહિત 43 કાયમી ટ્રાફિક કર્મચારીઓ છે અને અડધાથી વધુ એટલે કે 53 અસ્થાયી કર્મચારીઓ છે જેને 300 રૂપિયાના રોજના વેતન પર ટ્રાફિક બ્રિગેડના નામે રાખવામાં આવ્યા છે. જેમાં 9 મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
મર્યિદિત ટ્રાફિક કર્મીઓ દ્વારા શહેરની ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની આ વ્યવસ્થા છેલ્લા ઘણા સમયથી આ જ રીતે ચાલી રહી છે. આવા સંજોગોમાં ટ્રાફિક વિભાગ આ સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરી રહ્યું છે ત્યારે વાહનોની વધતી સંખ્યાના સંદર્ભમાં હજુ કેટલા ટ્રાફિક પોલીસ જવાનોની જરૂર છે તે કહેતા ટ્રાફિક અધિકારીઓ અચકાય છે. જ્યારે પણ શહેરમાં કોઈ મોટો નેતા કે મોટો તહેવાર હોય ત્યારે નજીકના શહેરો અને વિસ્તારોમાંથી પોલીસ દળ બોલાવવામાં આવે છે અને ટ્રાફિકને નિયંત્રિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે. અને કામ પૂરું થતાંની સાથે જ જૂની સિસ્ટમ તેની જગ્યાએ પાછી આવી જાય છે.
અસ્થાયી કર્મચારીઓની ઘણી મયર્દિાઓ હોય છે
રોજ રસ્તા પર સફેદ ગણવેશમાં ઉભા રહીને 8 કલાક કામ કરતા મોટાભાગના ટ્રાફિક કર્મચારીઓને એક સંસ્થા દ્વારા અસ્થાયી ધોરણે ટ્રાફિક બ્રિગેડ નામથી નોકરી પર રાખવામાં આવે છે. આ અસ્થાયી કર્મચારીઓ પાસે વાહનના દસ્તાવેજો તપાસવા, ચલણ જારી કરવા અને વાહન ડિટેઈન કરવા જેવા અધિકારો નથી. આ માત્ર લોકોને કાયદાનું પાલન કરવા અને યોગ્ય રીતે વાહન ચલાવવાનું કહી શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે ઘણા લોકો પોલીસ સાથે પણ દલીલ કરવામાં શરમાતા નથી, તો પછી તેઓ તેમની વાત કેમ સાંભળશે.... તમે સમજી શકો છો. બાકીનું કામ ત્યારે હજી બગડી જાય છે જ્યારે શહેરમાં અચાનક કોઈ મોટી હસ્તી આવે કા તો કોઈ ખાનગી કે સરકારી મોટો કાર્યક્રમ શહેરમાં થાય. આ મુઠ્ઠીભર અસ્થાયી ટ્રાફિક કર્મચારીઓમાંથી ઘણાને ત્યાં ફરજ પર મૂકવામાં આવે છે. ભલે શહેરની કથળતી ટ્રાફિક વ્યવસ્થા વધુ કથળી જાય.
1 ટકા પોલીસકર્મી પણ ટ્રાફિક મેનેજમેન્ટમાં નથી
શહેરની ટ્રાફિક વ્યવસ્થા કેવી છે તે શહેરના લોકોથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી. શહેરની નિષ્ફળ ટ્રાફીક વ્યવસ્થાને અંકુશમાં લેવા માટે એક ટકા પણ ટ્રાફિક પોલીસ નથી. આ સમસ્યાનો થોડો ઉકેલ લાવવા માટે અસ્થાયી કર્મચારીઓની ભરતી ટ્રાફિક બ્રિગેડ નામ થી કરવામાં આવી રહી છે પરંતુ તેમની સંખ્યા પણ ઘણી ઓછી છે. મોટાભાગના અસ્થાયી કર્મચારીઓ થોડા મહિનામાં ટ્રાફિક બ્રિગેડની નોકરી છોડી દે છે, એમ કહીને કે તેઓને સારા પગારની નોકરી મળી રહી છે.
આ વખતે ટ્રાફિક બ્રિગેડમાં ભરતી તમામ નિયમોને બાજુ પર રાખીને કરવામાં આવી હતી
અત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડ એટલે કે અસ્થાયી ટ્રાફિક કર્મચારીઓને નિયમન માટે કેટલાક નિયમોના આધારે ભરતી કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે તમામ નિયમોને બાજુ પર મુકવામાં આવ્યા છે. અગાઉ સર્ટિફિકેટમાં કામ કરવા માટે ઓછામાં ઓછું 50 કિલો વજન અને 5 ફૂટથી વધુ ઉંચાઈ હોવી જરૂરી હતી, પરંતુ થોડા દિવસો પહેલા ટ્રાફિક બ્રિગેડમાં કરવામાં આવતી ભરતીમાં તમામ નિયમો અને કાયદાઓને બાજુ પર રાખવામાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ચલાણ કાપવાની પ્રક્રિયા ગોઠવવામાં આવે ત્યારે જ ટ્રાફિક પોલીસના તમામ કર્મચારીઓ જોવા મળે છે. બાકીનો સમય મર્યિદિત સ્ટાફ તેમના વિવિધ કાર્યોમાં વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થા ભગવાન પર નિર્ભર છે એમ કહેવું ખોટું નહીં હોય. ટ્રાફિક સ્ટાફ મર્યિદિત છે. જ્યારે પણ ઉપરથી વધુ સ્ટાફ માટે પૂછવામાં આવે છે, ત્યારે અમે તેમને આ વિશે જાણ કરીએ છીએ - એમ.બી. ગજ્જર (પીઆઈ, ટ્રાફિક પોલીસ સ્ટેશન, જામનગર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech