2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ

  • June 07, 2025 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉધાર ખરીદીના હિસાબનો ૨.૫૩ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં વંથલીના પેસ્ટીસાઈડ વેપારીનો અદાલતે છુટકારો ફરમાવ્યો હતો.

આ કેસની હકીકત મુજબ, આર્યા ક્રોપ સાયન્સના ભાગીદાર કમલેશભાઈ ધીરજભાઈ કકાણીયા (રહે. પિતૃકૃપા હોટલની પાછળ, ભારત સ્ટીલ પાસે, મુઃ વેરાવળ શાપર) પાસેથી બંધનાથ ટ્રેડર્સના પ્રોપ્રાઈટર, દેવાભાઈ ધમણભાઈ જીલડીયા (ઠે. કણજાધાર, તાઃ વંથલી, મુળ બંધાળા) જુદી જુદી પેસ્ટીસાઈડ દવાઓની ઉધાર ખરીદી કરતા હતા. જેમાં હિસાબ થતા રૂા.૨,૫૩,૮૬૬/-નો ચેક દેવાભાઈ જીલડીયાએ કમલેશ કકાણીયાને આપ્યો હતો. આ ચેક બેંકમાં ભરતા જ "ફંડસ ઈન્સફીશીયન્ટ"થી પરત ફરેલ. જે બદલ કમલેશ કકાણિયાએ દેવાભાઈ જીલડીયાને કાનૂની નોટિસ આપ્યા બાદ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ ફોજદારી કેસ કર્યો હતો.

આ કેસ ચાલવા ઉપર આવતા

ફરીયાદી કમલેશભાઈ ફરીયાદવાળો આરોપીના ખાતાવાળો ચેક રેકર્ડ ઉપર ફલીત કરવામાં નિષ્ફળ નીવડેલ. તેમજ ફરીયાદીનું આરોપી પાસે રૂપીયા ૨,૫૩,૮૬૬/- કાયદેસરનું લેણું સાબીત થતું નથી. જેથી આરોપી દેવાભાઈ જીલડીયાને ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે રાજકોટના વકીલ હેતલ એમ. અપારનાથી, જુનાગઢના જય પી. રાવલ, ઝાકીર હુસેન વી. હોથ, હિતેશ એચ.ડોબરીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application